ભારતમાં Animal Manure અથવા છાણિયું ખાતર બનાવવાની બે પધ્ધતિઓ પ્રચલિત છે.
- ગરમ પધ્ધતિ
- ઠંડી પધ્ધતિ
ગરમ પધ્ધતિ
આ પ્રકારે ખાતર બનાવવાની પધ્ધતિમાં સૌપ્રથમ જમીન પર છાણની એક પાતળી પરત કે થર બનાવવામાં આવે છે, હવાની ઉપસ્થિતીમાં રાસાયણિક પરિવર્તન થાય છે જેનાથી તાપમાન ૬૦ ડિગ્રી સેં. સુધી પહોચી જાય છે.
આ પરત કે થર ઉપર સુકુ ઘાસ, લીલું ઘાસ, પાંદડા, કચરો, નિંદામણ ઇત્યાદી પાથરી દેવામાં આવે છે, અને પાછી છાણની એક પરત પાથરી દેવામાં આવે છે. અને તાપમાન વધવા દેવામાં આવે છે.
આ પ્રકારે થરને દસ કે વીસ ફુટ સુધી ઉંચો બનાવી કેટલાક મહિનાઓ સુધી આ અવસ્થામાં સડવા દેવામાં આવે છે. અને ચોક્કસ સમયના અંતે ખાતર તૈયાર થઇ જાય છે.
આ રીતે ખાતર બનાવવાનો વિશેષ લાભ આ છે કે તાપમાન વધવાથી કચરો, ઘાસ, નિંદામણ અને તેની અંદર રહેલા હાનિકારક બિયારણો નષ્ટ થઈ જાય છે, અને ખેતરમાં કોઇ વધારાનુ બિયારણ કે નિંદામણ ઉગતુ નથી.
ઠંડી પધ્ધતિ
આ પધ્ધતિમાં ખાતર બનાવવા માટે એક ચોક્કસ માપનો ખાડો ખોદવામાં આવે છે કે જેનુ માપ આ પ્રમાણે છે, ૧૫-૨૫ ફુટ લાંબો, ૫-૬ ફુટ પહોળો અને ૫-૧૦ ફુટ ઉંડો.
આ ખાડાની અંદર સૌપ્રથમ વધારે પ્રમાણમાં છાણ ભરવામાં આવે છે અને એની ઉપર કચરો ઇત્યાદી નાંખી પાછું છાણ ભરી દેવામાં આવે છે.
છાણ ભરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે કોઇ ખાલી જગ્યા રહી ના જાય.
ખાડાનો ઉપરનો ભાગ ઘુંમટ આકારે બનાવી લેવામાં આવે છે, અને છાણથી જ લીપી લેવામાં આવે છે, જેનાથી ચોમાસામાં વરસાદનું પાણી ખાડની અંદર ના ઘુસી શકે.
ત્યાર પછી લગભગ ત્રણ મહિના સુધી ખાડમાં ખાતરને સડવા કે કોહવા દેવામાં આવે છે. આ પધ્ધતિમાં ખાડાનું તાપમાન ૩૪ થી ૩૬ ડિગ્રી સેં. થી ઉપર જઇ નથી શકતુ કારણ કે રાસાયણિક પ્રક્રિયા હવાના અભાવથી સીમિત રહી જાય છે.
ખેડૂત મિત્રો આજનુ આર્ટીકલ "Methods of Animal Manure | છાણિયું ખાતર બનાવવાની પધ્ધતિઓ" કેવું લાગ્યું please comment કરો અને share કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડો.
- Thank You
- Thank You