February 16, 2019

Necessary Nutrients For Plants

ખેડૂત મિત્રો, આજે આપણે Necessary Nutrients For Plants એટલે કે છોડ માટે જરૂરી પોષક તત્વો, Macronutrients and Micro-nutrients. મુખ્ય પોષક તત્વો અને સુક્ષ્મ પોષક તત્વો કયા કયા છે, અને તેની ઉણપથી છોડ કે પાક પર શું અસર થાય છે તે વિશે માહિતી મેળવીશું.

Necessary Nutrients For Plants

Macronutrients (મુખ્ય પોષક તત્વો)

હવા અને પાણીમાંથી મળતા પોષક તત્વો

  • ઓક્સિજન  (O)
  • હાઇડ્રોજન   (H)
  • કાર્બન        (C)
પ્રાથમિક પોષક તત્વો

  • નાઇટ્રોજન  (N)
  • ફોસ્ફરસ      (P)
  • પોટેશિયમ  (K)

દ્વિતિય અને તૃતિય પોષક તત્વો

  • સલ્ફર          (S)
  • મેગ્નેશિયમ (Mg)
  • કેલ્શિયમ    (Ca)

 Micro-nutrients (સુક્ષ્મ પોષક તત્વો)

  • આયર્ન- લોહતત્વ  (Fe)
  • કોપર- તાંબુ           (Cu)
  • ઝીંક- ગંધક            (Zn)
  • બોરોન                    (B)
  • મેંગેનીઝ               (Mn)
  • ક્લોરીન                (Cl)
Necessary Nutrients For Plants

મુખ્ય પોષક તત્વો અને સુક્ષ્મ પોષક તત્વોની ઉણપથી છોડ કે પાક પર થતી અસરો

નાઇટ્રોજન :  છોડની વૃધ્ધિ અટકે અને પાન પીળા પડે છે.

ફોસ્ફરસ :    પાંદડાનો આકાર બદલાઇ છે, પાંદડા લાલ અથવા ભુખરા રંગના થઇ જાય છે.

પોટેશિયમ :  છોડના મુળ નબળા પડે, પાંદડાની કિનારી ભુખરા રંગની બને છે.

સલ્ફર :    નવા પાંદડા શરૂઆતથી જ પીળા પડી જાય છે.

મેગ્નેશિયમ :  છોડના જુના પાંદડા એકાએક પીળા પડે અને તેની શરૂઆત પાનની ધારથી અંદરની
                   શીરાઓ શુધી પહોચે છે.

કેલ્શિયમ :  છોડની નવી ફુટેલી કુપળો સુકાઇને મરી જાઇ છે. અને પાંદડાની ટોચના ભાગે અસર
                 થાય છે.

આયર્ન :  શરૂઆતના પાન પીળા બને અને પાન સફેદ રંગના થઇ જાય છે અને પાનની શીરાઓ
              લલાશ પામે છે.

કોપર :  નવા પાન વાંકા વળીને ઉપરની તરફ સુકાઇ જાઇ છે, અને ડાળી પર બીજા નાના-નાના પાન
        ફુટી નીકળે છે.

ઝીંક :  છોડના પાંદડા વાંકાચુકાંં અને નાના થઇ જાય છે, છોડની ફુટ ઓછી થઇ જાય અને બે
        ગાંઠો વચ્ચેનું અંતર ઓછુ થઇ જાય છે.

બોરોન :  છોડની ડાળીઓની અગ્રકલિકા ખરી પડે છે, ફળ- ફુલ બેસતા નથી અને ફળ છોડ ઉપર
           જ ફાટી જાય છે.

મેંગેનીઝ : છોડની પાંદડાની શીરાઓ વચ્ચે કથ્થઇ ટપકાં પડે છે, ત્યારબાદ ભુખરા રંગના થઇ
           જાય છે.

છોડ માટે ઉપયોગી જરૂરી પોષક તત્વોમાં જેટલું પ્રાથમિક, દ્વિતિય કે તૃતિય પોષક તત્વોનું મહત્વ છે, તેટલું જ સુક્ષ્મ પોષક તત્વોનું મહત્વ છે,  સુક્ષ્મ પોષક તત્વોની થોડી ઉણપતા કે અધિકતા છોડના જીવનચક્રને અસર કરે છે, અને આ તત્વોની સમ્પુર્ણ માત્રા જાળવી છોડ કે પાકનું વધું ઉત્પદન મેળવી શકાય તથા છોડને અનેક રોગોથી સુરક્ષિત કરી શકાય છે. આંખે દેખાતા પોષક તત્વોની ઉણપના લક્ષણો પાકમાં નુકસાનની પરીસ્થિતી દર્શાવે છે, કેટલાક પાકોમાં લક્ષણો દેખાય તે પહેલા ઘણું બધું  નુકસાન થઇ ગયું હોય છે.


આજનું આર્ટીકલ  " Necessary Nutrients For Plants  " વધુ નેે વધુ sharer કરો અને દરેક ખેડૂત સુુુુધી આ માહિતી પહોંચાડો.                                                                                                               
                                                                                                                    - Thank you                                                               





No comments:

Post a Comment

Vermicompost અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા

Vermicompost અળસિયાનુ ખાતર આ ખાતર પોષણ પ્રદાર્થોથી ભરપુર એક ઉત્તમ જૈવિક ખાતર છે, જે અળસિયા અને અન્ય જંતુઓ દ્વારા વનસ્પતિઓના કચરા, ભોજન...