February 01, 2019

Information About Organic Farming (જૈવિક ખેતી વિશે માહિતી)

(Here is the all Information About Organic Farming like what is Organic Farming? why we do Organic Farming? how to do Organic Farming? and etc...)

હેલ્લો, ખેડૂત મિત્રો, Organic Farming (જૈવિક ખેતી) માં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, આજે હુ આપને Information About Organic Farming એટલે કે  જૈવિક ખેતી વિશે માહિતી આપિશ તો મિત્રો આપણે Organic Farming (જૈવિક ખેતી) શાં માટે કરવી જોઇયે એ વિશે પેહલા જાણી લઇયે,
Organic Farming



સંપુર્ણ વિશ્વમાં વધતી જતી જન સંખ્યા એક ગંભીર સમસ્યા છે, અને એ જન સંખ્યાના ભોજન વ્યવસ્થાને પહોંચી વળવા ખેડૂતો દ્વારા ખેતી માં વધુ ને વધુ ઉત્પાદન પ્રાપ્ત કરવા ની હોડ માં જાત‌‌‌‌‌‌‌‌‌‌‌‌-જાતના રાસાયણિક ખાતર, ઝેરી જંતુનશક-કીટનાશક દવાઓનો ઉપયોગ પ્રક્રુતિના જૈવિક અને અજૈવિક પ્રદાર્થોના વચ્ચે આદાન-પ્રદાન ના ચક્રને (ecological system) પ્રભાવિત કરે છે, જેનાથી જમીનની ઉત્પાદન શક્તિ અથવા ફળ્દ્રુપતા ઓછી થઈ જાય છે.

What is Organic Farming ? (જૈવિક ખેતી શું છે?)

 આ એક એવી પધ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, કીટનાશક અને નીંદામણ-નાશક ના સ્થાન પર જીવાંશ ખાતરના પોષક તત્વો (છાંણીયુ ખાતર,કંપોસ્ટ ખાતર, લીલું ખાતર, જીવાણું કલ્ચર,જૈવિક ખાતર, વગેરે...) અને બાયો-પૈસ્ટીસાઇડ નો ઉપયોગ કરવામા આવે છે, એનાથી જ માત્ર જમીનની ઉત્પાદન શક્તિ લાંબા સમય સુધી ટકી રહે છે. પર્યાવરણનું પ્રદૂષણ અટકે છે અને કૃષિ ખર્ચને ઘટાડે છે તથા જમિનની ઉત્પાદન શક્તિ વધવાથી ખેડૂતોને અધિક લાભ મળે છે.
ભારતમાં ગ્રામીણ અર્થવ્યવશ્થા નો મુખ્ય આધાર ખેતી છે અને ખેડૂતોની મુખ્ય આવકનુ સાધન પણ ખેતી છે, હરિયાળી ક્રાંતિના સમયથી વધતી જતી જનસંખ્યા, મોંઘવરી અને આવકને ધ્યાનમાં લઈ ખેડૂતોએ ઉત્પાદન વધારવું જરૂરી છે પણ વધુ ઉત્પાદન માટે વધારે ને વધારે રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી જમીન, જળ, વાયુ અને વાતાવરણમાં પ્રદૂષણ વધ્યું છે, સાથે સાથે ખાદ્ય પ્રદાર્થો ઝેરીલા બન્યા છે, ખેડૂતો દેવાદાર બની ગયા છે, એટલે જ તો ઉપરોક્ત સમસ્યાના નિવારણ માટે છેલ્લા કેટ્લાક વરસોથી નિરંતર ટકાઉ ખેતી કરવાની ભલામણ કરવામાં આવી છે અને એક વિશેષ ખેતી પધ્ધતિને અપનાવાની સલાહ આપવામાં આવી છે જેને આપણે  Organic Farming (જૈવિક ખેતી)  કહીયે છીયે.
 Organic Farming


Organic Farming (જૈવિક ખેતી) : આ એક સદાબહાર કૃષિ પધ્ધતિ છે, જે પર્યાવરણની શુધ્ધતા, જળ અને વાયુની શુધ્ધતા, ભૂમિનુ પ્રાકૃતિક સ્વરૂપ એટલે કે ભુમિની ફળદ્રુપતા જાળવી રાખે છે, તથા જમીનની જળ ધારણ કરવાની શક્તિ વધારે છે, અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની, લાંબા સમય સુધી ઉત્તમ ગુણવત્તા યુક્ત પાક મેળવવાની, પરંપરાગત સરળ પધ્ધતિ છે.

ભારત સરકાર પણ ખેડૂત મીત્રોને કેટલાક વરસોથી જૈવિક ખેતી અપનાવવા પ્રચાર કરી રહી છે. 

તો ખેડૂત મિત્રો આશા રાખુ કે તમને  "Information About Organic Farming" આર્ટિકલ ગમ્યું હશે તો please share કરો.
       

3 comments:

  1. pan organic dava thi jatu ni safai nu result saru nai maltu anu su karvu..???

    ReplyDelete
  2. તમે શાની ખેતી કરો છો ? અને કેવા પ્રકાર ના જંતુનો ઉપદ્રવ વધારે છે એ જણાવો ?
    દા.ત. ઇયળ, સફેદ માખી, વાઇરસ વગેરે...

    ReplyDelete

Vermicompost અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા

Vermicompost અળસિયાનુ ખાતર આ ખાતર પોષણ પ્રદાર્થોથી ભરપુર એક ઉત્તમ જૈવિક ખાતર છે, જે અળસિયા અને અન્ય જંતુઓ દ્વારા વનસ્પતિઓના કચરા, ભોજન...