February 06, 2019

Benefits of Organic Farming

Today we are knowing about The Benefits of Organic Farming (જૈવિક ખેતીના ફાયદા)

ખેડૂત મિત્રો, આપણે આગળના આર્ટીકલમાં જોયું કે Organic Farming (જૈવિક ખેતી) શું છે. તો આજે આપણે જોઇશું કે The Benefit of Organic Farming જૈવિક ખેતીના કાયદા કયા કયા છે? અને આ પધ્ધતિથી ખેતી કરવાથી આપણને શું-શું લાભ થાય છે?
જૈવિક ખેતી કરવથી ત્રણ પ્રકારે ફાયદા કે લાભ થાય છે.

  • ખેડૂતોની દ્રષ્ટિએ લાભ 
  • જમીનની દ્રષ્ટિએ લાભ
  • પર્યાવરણની દ્રષ્ટિએ લાભ

ખેડૂતોની દ્રષ્ટિએ લાભ :

  • જનીનની ઉપજાવ શક્તિમાં વધરો થાય છે.
  • સિંચાઇ અંતરાલમાં વ્રુધ્ધી થાઇ છે.
  • રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઓછા ઉપયોગથી મહત્તમ ખર્ચમાંથી મુક્તિ મળે છે.
  • પાકની ઉત્પાદક્તામાં વધારો થાઇ છે.
  • ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન, લાંબા ગાળા સુધી મેળવી શકાય છે.
  • પાકના ઉંચા ભાવો પ્રાપ્ત કરી શકાય છે.

જમીનનીદ્રષ્ટિએ લાભ : 

  • જૈવિક ખાતરના ઉપયોગથી જમીનની ગુણવત્તા તથા ફળદ્રુપતામાં વ્રુધ્ધિ થાય છે.
  • જમીનની જલ ધારણ ક્ષમતા વધે છે.
  • જમીનમાં રહેલું પાણીનુ બાષ્પીભવન અટકે છે.
  • જંતુનાશક દવાઓના નહિવત ઉપયોગથી જમીનને ફળદ્રુપ બનાવનાર અળસિયાનો આબાદ બચાવ થાય છે.

પર્યાવરણની દ્રષ્ટિએ લાભ :

  • જમીનની અંદર રહેલા પાણીના સ્તર ઉંચા આવે છે.
  • ખાદ્ય પ્રદાર્થો ઝેરીલા ના હોવથી માનવીય શરીર સ્વસ્થ રહે છે.
  • હવા, ભુમિ, તથા જળનુ પ્રદૂષણ અટકે છે.
  • કચરાનો ઉપયોગ ખાતર બનાવવામાં થતો હોવાથી અનેક બીમારીઓનુ પ્રમાણ ઘટી જાય છે.
  • આંતર રાષ્ટ્રિય બજારમાં જૈવિક ઉત્પાદીત વસ્તુની (શાકભાજીની) માંગ વધવા લાગી છે.
  • Global Warming (ગ્લોબલ વોર્મીંગ ) નું પ્રમાણ ઓછુંં કરે છે.

the benefit of organic farming



જૈવિક ખેતીની પધ્ધતિ રાસાયણિક ખેતીની તુલનામાં બરાબર અથવા વધુ ઉત્પાદન આપે છે, એટલે કે જૈવિક ખેતી જમીનની ફળદ્રુપતા, ખેડૂતોની ઉપજ અને આવક વધારવા સમ્પુર્ણ સહાયક છે.

વરસાદ આધારિત ક્ષેત્રોમાં જૈવિક ખેતી પધ્ધતિ અધિક લાભદાયક રહે છે, આ પધ્ધતિ દ્વારા ખેતી કરવાથી ખેડૂતોને ઓછા મજુરી ખર્ચ, ખાતર‌‌‌-દવા ખર્ચ જેવા અન્ય કેટલાઓ ખર્ચા બચી જાય છે.

ખેડૂતોને જૈવિક પાકોના વધુમાં વધુ ભાવો મળે છે, તથા આંતર રાષ્ટ્રિય બજારમાં પોતાના શકભાજી પાકો અને અન્ય પાકો વેચી વધારે લાભો મેળવવાની અમુલ્ય તક મળે છે.

આધુનિક સમયમાં નિરંતર વધતી જન સંખ્યા, પર્યાવરણ પ્રદૂષણ, જમીન સંરક્ષણ અને માનવ સ્વાસ્થ્ય માટે જૈવિક ખેતીની રાહ અત્યંત લાભદાયક ગણાય છે, અને માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે ખુબજ આવશ્યક છે કે પ્રાકૃતિક સંસાધન પ્રદૂષણ ના પામે, શુધ્ધ વાતાવરણ રહે એવં પૌષ્ટિક આહાર મળતો રહે, એના માટે આપણે જૈવિક ખેતીની કૃષિ પધ્ધતિઓ અપનાવવી પડશે, જે આપણા નૈસર્ગિક સંસાધનો અને માનવીય પર્યાવરણને પ્રદૂષિત કર્યા વગર સમસ્ત જનસમાજને ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવી સકશે તથા આપણને ખુશહાલ જીવન જીવવાની રાહ બતાવી સકશે.

કેટલાક ખુડૂતો તો જંતુનાશક દવાઓ ( Pesticide ) નો એટલો વપરાશ કરે છે કે ઉત્પાદન થયેલી શાકભાજી પોતાના પોતાના ઘરે પણ ઉપયોગમાં નથી લેતા મત્ર બજારમાં વેચતા હોય છે.

તો પછી શું કામ આપણે ખાવા લાયક શાકભાજી કે અન્ય પાકો ના ઉગાડિયે?
શું જૈવિક કે સજીવ ખેતી પધ્ધતિ ના અપનાવી શકીયે?

મિત્રો આજનું આર્ટીકલ "The Benefits of Organic Farming"  થી આપને ઘણી સારી માહિતી મળી છે, તો દરેક ખેડૂતો સુધી આ આર્ટીકલ પહોંચે માટે વધુ ને વધુ share કરો. આભર...


No comments:

Post a Comment

Vermicompost અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા

Vermicompost અળસિયાનુ ખાતર આ ખાતર પોષણ પ્રદાર્થોથી ભરપુર એક ઉત્તમ જૈવિક ખાતર છે, જે અળસિયા અને અન્ય જંતુઓ દ્વારા વનસ્પતિઓના કચરા, ભોજન...